બહાદુર લોકો ને કિસ્મત નો સાથ મળે છે!!!

.

Thursday 10 March 2011

તમે જિંદગી ના ગુલામ નથી, જિંદગી તમારી ગુલામ છે!

                      જિંદગી માં એક મહત્વ ની વાત આપને વિસરી જતા હોઈએ છીએ અને તે છે જીવન પ્રત્યે નો આશાવાદી દ્રષ્ટિકોણ.   ભગવાને ઘડેલા માણસો પૈકી એણે જે પ્રકારના ઇન્સાન ની કલ્પના કરી હશે, એવી સંપૂર્ણ ઈન્સાનિયત માણસ માં જોવા મળી ખરી???    અને તેમ છતાં ઈશ્વર આશાવાદી રહીને પોતાનું સૃજનકાર્ય વણથંભી રીતે ચલાવી રહ્યો છે.   પોતાની મહેનત એળે ગયાનો વસવસો એણે ક્યારેય વ્યક્ત નહિ જ કર્યો હોય !!
                    તમે જિંદગી ના ગુલામ નથી, જિંદગી તમારી ગુલામ છે!  જિંદગી ના દાસી બની તમને નચાવવાની એણે છૂટ આપશો તો એ તમારી પાસે પોતાનું મનમાન્યું કરાવશે. એટલે જિંદગી પર તમારું નિયંત્રણ રાખો. જે માણસ જીવન માં ઘટિત ઘટના મહતી બોધપાઠ નથી લેતો, જીવન એને આકરી સજા માટે તૈયાર  રહેવાનો સંદેશ આપી જ દેતું હોય છે. 
                    જિંદગી દરરોજ આપણું ઈન્ટરવ્યું લે છે. જીવન સાથે ની રૂબરૂ મુલાકાત માટે તમે તૈયાર ના હો તો બિચારી  જિંદગી કરે પણ શું??? જિંદગી ને શ્રેષ્ઠ બનાવવાનો  અધિકાર કુદરતે આપણને જન્મસિદ્ધ અધિકાર તરીકે આપેલો જ છે. આપણી નિરાશા-હતાશા-પલાયનવાદ, કામ ઉચિત તરીકે કરવાની આવડત નો અભાવ આપણી શ્રેષ્ઠતાના ઉદભવ માટે અંતરાયરૂપ બને છે.    

જિંદગી ની વ્યાખ્યા:-  
જિંદગી એટલે ખંડ નું પડ ચડાવ્યા સિવાય કોઇથી ગળી ના શકાય એવી દવા ની ટીકડી.   આનો મતલબ  જિંદગી ને સ્યુગર કોટેડ ગોળી બનાવવાને બદલે કડવાશ થી  ગભરાઈ  ને થૂંકી નાખનાર ને જિંદગી ક્યારેય માફ કરતી નથી.